આ દુનિયા. આ ટેકનોલોજી, આ સુવિધાઓ, આ ઇલેકટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પુસ્તકોના કારણે શોધાયાં છે. દા.ત. શ્રીલંકાના એક લેખકે તેના પુસ્તકમાં કરેલા ટીવીના વર્ણનના આધારે ટીવી શોધાયું હતું.
મારી પાસે એક લાઇબ્રેરી ભરાય એટલાં પુસ્તકો અને મેગેઝિન્સ છે. મારા 654 વાંચકોને આ મેસેજથી જાહેર નિમંત્રણ પાઠવું છું કે તેઓ આવે અને મન પસંદ પુસ્તકો નિ:શુલ્ક વાંચવા લઈ જાય. પુસ્તકો આરોગ્ય, ધાર્મિક, રચનાત્મક, ઓશો , ગાયત્રી અને મોટીવેશનલ વિષયક છે. પુસ્તક રસિયા ઇચ્છે તો પુસ્તક ખરીદી શકશે.
પોતાના ઘરે હવન કરવો હોય તો તાંબાનો હવનકુંડ પણ મળશે.
12 વાગ્યા પહેલાં કે 3 વાગ્યા પછી ફોન કરીને આવવું આવશ્યક છે.
( M ) 94087 64959
અર્ક:::::::::
જો તમે તમારા જીવનમાં બદલાવ લાવવા માગતા હો તો પુસ્તકને તમારો સાથી બનાવો. કોણ જાણે, કયું પુસ્તક તમારી જિંદગીની દિશા બદલી નાખે !!!
અત્રે ઉલ્લેખનિય છે કે મને વાલિયામાંથી વાલ્મિકી બનાવનાર પુસ્તક જ છે.
મેં 90 પુસ્તકો લખ્યા છે. અને પ્રકાશિત કર્યા છે.
મારી લખેલી પુસ્તિકા ” લક્ષ્મી કવચ દેવી કવચ અને ચંડીપાઠ ” ની 111 એડીશન અને દોઢ લાખ નકલો પ્રકાશિત થઈ ચૂકી છે. એક પુસ્તિકાનો પ્રિન્ટિંગ ચાર્જ 130 રુપિયા ( પ્લાસ્ટિક કવર સાથે ) થયો હતો, જે આવનાર દરેક વાંચકને ભેટ આપવામાં આવશે.
——-આજે બસ આટલું જ,
શુભ રાત્રિ